Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ઃ 'રામનાથના રાજા' ગણેશોત્સવ ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

ખંભાળીયા તા. ર૧ઃ ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં રામનાથ સોસાયટીમાં રામનાથ સોસાયટી મિત્ર મંડળ દ્વારા બ્રહ્મ અગ્રણી તથા જિલ્લા કલેકટરના પી.એ. જયદીપભાઈ કિરણભાઈ જોશીની આગેવાનીમાં ચાલતા રામનાથના રાજા ગણેશ ઉત્સવમાં ફળના અન્નકુટના ભવ્ય દર્શન તથા ૧૧૧૧ દીવડાની મહા આરતી યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં કાર્યકરો સાથે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ તથા જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, જામનગર શહેર મહામંત્રી તથા અગ્રણી મેરામણભાઈ ભાટુ, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, ભાજપ જિલ્લા મહામંત્રી રસીકભાઈ નકુમ, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પૂર્વ પાલિકા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, મીડિયા સેલ સહ ઈન્ચાર્જ જયસુખભાઈ મોદી, હસમુખભાઈ ધોળકીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, જોડાયા હતા તથા રિવાબા જાડેજાએ આયોજન બદલ આયોજકોને ધન્યવાદ આપ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh