Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'ના અખંડેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ ગયો અન્નકૂટ ઉત્સવ

જામનગર તા. ર૧ઃ  જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં ધરારનગરમાં રામ ચોકમાં આવેલ શ્રી અખંડેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણી અમાસ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્નકૂટ ઉત્સવના દર્શન સાથે જ મહાઆરતીનો લાભ  પણ દર્શનાર્થીઓને મળ્યો હતો. બપોરે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

શિવાલયમાં અનોખું શિવલીંગ આવેલું છે. વિરાટ શિવલીંગમાં નાના નાના ૧૧૦૮ શિવલીંગ ધરાવતા આ શ્રી અખંડેશ્વર મહાદેવના અભિષેકથી ૧૧૦૮ શિવલીંગના અભિષેકનું પુણ્યફળ ભકતોને પ્રાપ્ત થાય છે. અહીં દરરોજ નગારાના નાદે આરતી કરવામાં આવે છે. પરંતુ ભકતો દ્વારા જ નગારા વગાડવામાં આવે છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બી.કે. સાબુ સહિત ટ્રસ્ટીઓ તથા સેવકો સર્વશ્રી પ્રો. જી.આઈ. સિંઘ, મનજીતસિંઘ ઉપલ, ધર્મેશભાઈ સામાણી, અશ્વિનભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ અને વિમલભાઈ ચનિયારા તથા પૂજારી અમિતગીરી ગૌસ્વામી વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ભકતોએ બહોળા પ્રમાણમાં અન્નકૂટ ઉત્સવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh