Advertisement
Author: નોબત સમાચાર

નર્મદા ડેમ ઓવરફલો કરીને લાખો લોકોને સંકટમાં મૂક્યા હોવાનો આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને

ખંભાળીયા તા. ર૧ઃ તાજેતરમાં નર્મદા ડેમ ઓવરફલો થતા લાખો લોકો મુશ્કેલીમાં મૂકાયા તે માટે સરકારી તંત્ર, ગુજરાત સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા કરાયો છે તથા કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા હતાં.

નર્મદા ડેમ છલકાવવા ઈન્દિરા સાગરમાંથી ૯.૪પ લાખ ક્યુસેક પાણી શા માટે છોડાયું...? કોની રજાથી...? ડેમનું રૃલ લેવલ જાળવવા અગાઉ પાણી ના છોડીને ૧૭-૯-ર૦ર૩ ની તારીખે જ કેમ...? ઉપરવાસ કેટલો વરસાદ પડ્યો...? તબક્કાવાર પાણી કેમ ના છોડાયું...? ઓમકારેશ્વર ડેમ તથા અન્ય ડેમોની સ્થિતિ અંગે કંઈ આયોજન કરેલું...? દર વખતે ૧૭-૯-ર૦ર૩ ના વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના જન્મદિને જ નર્મદા ડેમ કેમ છલકાય છે...?

જ્યારે હવામાન ખાતાએ વરસાદમાં રેડ એલર્ટ કર્યુ ત્યારે જ દરવાજા કેમ ખોલ્યા...? નીચાણવાળા વિભાગોમાં પારાવાર નુકસાનના જવાબદાર કોણ...? ખેડૂતોના પાક સુકાતા હતાં ત્યારે પાણી કેમ ના છોડાયું...? ગુજરાત મધ્યપ્રદેશની સરકારે નરેન્દ્ર મોદીને ખુશ કરવા પાણીનો દુરઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતાએ કરીને ખેડૂતોને પાણીની જરૃરત હોય, ડેમમાંથી તબક્કાવાર પાણી છોડીને સૌરાષ્ટ્ર - ગુજરાતના ડેમો તળાવો ભરી શકાયા હોત તેને બદલે ર૩ દરવાજા ખોલી ડેમ છલકાવી અતિ પૂરની સ્થિતિ પેદા કરી લોકોને શા માટે હેરાન કરાયા...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh