Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર-લાલપુરના બિસ્માર માર્ગોના પ્રશ્ને આવતીકાલે જનઆક્રોશ રેલીઃ લાલપુર પ્રાંત કચેરીને તાળાબંધી

ધારાસભ્ય હેમંત ખવાનું આક્રમક વલણઃ

જામજોધપુર તા. ર૧ઃ આવતીકાલે લાલપુર-જામજોધપુરના બિસ્માર માર્ગોના પ્રશ્ને ધારાસભ્ય દ્વારા રેલી તથા તાળાબંધીના કાર્યક્રમો યોજાશે.

જામજોધપુર-લાલપુર તાલુકામાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે. આ માર્ગોને રીપેર કરવા, નવીનિકરણ કરવા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રીને બે વખત મળીને રૃબરૃ રજૂઆત કરી છે. એક વખત તાલુકાના આગેવાનો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

સરકારે ૭૦ જેટલા ધારાસભ્યો પાસેથી તેમના મતવિસ્તારના પાંચ કરોડના રસ્તાના કામો અંગે સૂચનો માંગ્યા હતાં. તેમાં પણ લાલપુર-જામજોધપુર વિસ્તારની અવગણના કરવામાં આવી છે.

જામજોધપુર-લાલપુર તાલુકામાં કુલ ૪૪ રોડ-રસ્તાઓ છેલ્લા ૭ થી ૧૦ વર્ષથી રી-સરફેસ કરવામાં આવ્યા નથી તેમજ કુલ રપ જેટલી સ્ટ્રક્ચરની દરખાસ્તો પેન્ડીંગ છે. તેમ છતાં આ બાબતે કઈ જ હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નહીં, આથી આ મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ આક્રમક વલણ અપનાવવા આવતીકાલે તા. રર-૯-ર૦ર૩ શુક્રવારના જનઆક્રોશ રેલી યોજી તાલુકાના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી પ્રાંત કચેરી, લાલપુરને તાળાબંધી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh