Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ શિરેશ્વર મેળામાં ઉમટ્યો માનવ મહેરામણ

ખંભાળીયા તા. ૨૧ઃ ખંભાળીયાના શિરેશ્વર મહાદેવ લોકમેળામાં ઋષિ પંચમીના દિવસે મેળો જામ્યો હતો. સવારથી જ વાહનોની કતારો લાગી ગઈ હતી તેમજ મેળામાં વિવિધ ચકડોળ, રાઈડ્સ, ખાણીપીણીના વિવિધ સ્ટોલ પર લોકો ઉમટી પડ્યા હતાં. શિરેશ્વર મહાદેવ મંદિરે શણગાર દર્શન યોજાયા હતાં. યુવક અને સાંસ્કૃતિક વિભાગના લોક ડાયરાના કાર્યક્રમમાં હજારો લોકો ઉમટ્યા હતાં.

આગલા દિવસે વરસાદી વાતાવરણ હોય અને મેળામાં વરસાદ પડતા રંગમાં ભંગ જેવું થયું હતું. જે પછી ગઈકાલે વરસાદે વિરામ લેતા મોટી સંખ્યામાં ખંભાળીયા શહેર તથા આસપાસના ગામમાંથી લોકો ઉમટ્યા હતાં. મોડીરાત્રિ સુધી મેળો જામ્યો હતો. મેળામાં ખંભાળીયા પોલીસ ઈન્સ્પેક્ટર નિકુંજ જોશી તથા સ્ટાફની વ્યવસ્થા,, શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજાની ટીમ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh