Advertisement
Author: નોબત સમાચાર

નગડિયામાં ઈલેકટ્રીક સ્વિચ ચાલુ કરવા જતાં થયેલા ધડાકા પછી યુવાનનું મૃત્યુ

બાટલામાંથી લીક થયેલા ગેસે સર્જી કરૃણાંતિકાઃ

જામનગર તા. ૨૧ઃ કલ્યાણપુરના નગડિયા ગામમાં એક મકાનમાં રાંધણગેસનો બાટલો લીક થયા પછી રસોડું બંધ હોવાના કારણે ભરાઈ રહેલા ગેસે બીજા દિવસે સવારે વિસ્ફોટ સર્જયો હતો. ઈલેકટ્રીક સ્વિચ ચાલુ કરવા ગયેલા યુવાન દાઝ્યા હતા. તેઓનું મૃત્યુ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામમાં રહેતા નાગાજણભાઈ સામતભાઈ કુછડીયા (ઉ.વ.રપ) નામના મેર યુવાન ગઈ તા.પની સવારે છએક વાગ્યે પોતાના રહેણાંક સ્થિત રસોડામાં ગયા હતા.

આ વેળાએ તેઓએ લેમ્પ ચાલુ કરવા સ્વિચ દબાવતા જ ભડકો થયો હતો. જેમાં દાઝી ગયેલા નાગાજણભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું તા.૧૫ની રાત્રે મૃત્યુ થયું છે.

ઉપરોક્ત બનાવની મૃતકના ભાઈ અને અમદાવાદમાં રહેતા અભય કુછડીયાએ પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ બનાવની આગલી રાત્રે ઘરના રસોડામાં રાંધણગેસનો બાટલો લીક થયો હતો. આખી રાત રસોડું બંધ રહેવાથી ગેસ ત્યાં ભરાઈ રહ્યો હતો અને સવારે જ્યારે નાગાજણભાઈ રસોડામાં ગયા અને તેઓએ ઈલેકટ્રીક સ્વિચ ચાલુ કરતા ભડકો થયો હતો અને તેમનો ભોગ લેવાયો હતો. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh