Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એરફોર્સના સિવિલ લોન્ડ્રીમેને કરી હતી આત્મહત્યાઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના એરફોર્સમાં લોન્ડ્રીમેન તરીકે કામ કરતા યુવાને વ્યાજની પઠાણી ઉઘરાણીના કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર કરી છે.
જામનગરના એરફોર્સમાં સિવિલ લોન્ડ્રીમેન તરીકે કામ કરતા દિનેશભાઈ મોહનભાઈ ચૌહાણ નામના યુવાને તેમની ચાલુ નોકરીએ ગઈ તા.૯-૩-૨૩ના દિને લોન્ડ્રીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓની લખેલી મનાતી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેઓએ વ્યાજની ઉઘરાણીના કારણે આત્મહત્યા કરતા હોવાનું જણાવ્યું હતું. તે પછી તેમના પત્નીએ રેવતુભા ઝાલા, જાવેદભાઈ, જયુભા, આશિષભાઈ, રિદ્ધિબેન વગેરે સામે પોતાના પતિને મરવા માટે મજબૂર કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ રેવતુભા પાસેથી રૃા.ર લાખ ૭૦ હજાર તેમના પતિ દિનેશભાઈએ વ્યાજે લીધા હતા. તેના વ્યાજ પેટે રેવતુભા આખેઆખો પગાર બારોબાર ઉપાડી લેતાં હતા. તે પછી વધુ વ્યાજ મગાતા દિનેશભાઈએ લોન મેળવી હતી અને તેની રકમ પણ પડાવી લેવાઈ હતી. તેથી કંટાળી ગયેલા દિનેશભાઈએ આત્મ હત્યાનું પગલું ભર્યું હતું.
ઉપરોક્ત ફરિયાદ પરથી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધી રેવતુભા લાલુભા ઝાલાની ધરપકડ કરી હતી અને એટ્રોસિટી એક્ટનો પણ ઉમેરો કર્યાે હતો. આરોપી રેવતુભાએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે આરોપીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી મંજૂર કરી છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial