Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત વિકાસ પરિષદની જામનગર શાખા દ્વારા ૧૯ મી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શહેરની વિવિધ ર૧ શાળાઓએ ભાગ લીધો હતો. હિન્દી અને સંસ્કૃત બન્ને વિભાગમાં સત્સસાંઈ વિદ્યાલય પ્રથમ ક્રમે વિજેતા થયું હતું. આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ નિરજભાઈ છાપીયા, સંત હરીબાપુ, રીજીયોનલ જોઈન્ટ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતનભાઈ નાખવા ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થાના પ્રમુખ ડાહ્યાભાઈ સોનગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી મંત્રી વિજયભાઈ ભટ્ટે આપી હતી. સંસ્થાના ઉપપ્રમુખ દિપાબેન ભટ્ટે આભાર દર્શન કર્યું હતું. પ્રોજેકટ ડાયરેકટર આનંદભાઈ સિદ્ધપુરા તથા કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial