Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘર પાસે પાનની પીચકારીના મુદ્દે મહિલા પર હલ્લોઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના ખીમરાણા ગામમાં એક મંદિરમાં ગઈકાલે બપોરે પૂજા કરવામાં વાર લાગવાના પ્રશ્ને પૂજારી તથા ભક્ત વચ્ચે મારામારી થઈ પડી હતી. બંનેએ સામસામી ફરિયાદ નોંધાવી છે. જ્યારે સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ઘર પાસે પાનની પીચકારી મારવાના મુદ્દે એક મહિલા પર ચાર મહિલા તૂટી પડી હતી.
જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલા ખીમેશ્વર મહાદેવ મંદિરે ગઈકાલે કારખાનેદાર દિનેશભાઈ શાંતિલાલ ધારવીયા પૂજા કરવા ગયા હતા ત્યારે ત્યાં હાજર પૂજારી કરણસિંહ પ્રવીણસિંહ જાડેજાએ તમને પૂજા કરવામાં વાર બહુ લાગે છે તેમ કહી નજીકમાં પડેલો ધોકો ઉપાડી દિનેશભાઈને ઝીંક્યો હતો. ધોકાના ફટકાથી દિનેશભાઈનો એક પગ ભાંગી ગયો છે. તેઓએ પૂજારી સામે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તે ફરિયાદની સામે પૂજારી કર્ણદેવસિંહ ઉર્ફે કરણસિંહ પ્રવીણસિંહ જાડેજાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે તેઓ મંદિરમાં પૂજા કરતા હતા ત્યારે દિનેશ શાંતિલાલને તેઓએ પૂજામાં કેટલી વાર લાગશે તેમ પૂછતા ઉશ્કેરાયેલા દિનેશે ગાળો ભાંડી ત્યાં પડેલી ડોલ ઉપાડી ઝીંકી દીધી હતી અને અન્ય વ્યક્તિઓને પણ ગાળો ભાંડી હતી. પોલીસે બંને ફરિયાદ નોંધી લઈ તપાસ હાથ ધરી છે.
જામનગરના સાધના કોલોની વિસ્તાર પાછળ આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીની શેરી નં.૧૦માં રહેતા ભગવતીબેન નેમરાજ જ્ઞાનચંદાણી નામના વૃદ્ધાએ પોતાના ઘર પાસે પાનની પીચકારી મારી જતાં વ્યક્તિને ત્યાં પીચકારી મારવાની ના પાડતા છાયાબેન પ્રભુભાઈ વશીયર, રીટાબેન કલ્પેશભાઈ વશીયર, ક્રિષ્નાબેન અમિતભાઈ વશીયર અને એક અજાણી મહિલાએ ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. જેમાં ભગવતીબેનને બે આંગળીમાં ઈજા થઈ હતી. ઉપરોક્ત ચારેય મહિલાએ ભગવતીબેનના ડેલામાં ધક્કા માર્યા હતા. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial