Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા બે મિત્રોના બચાવઃ
જામનગર તા. ૨૧ઃ કાલાવડના ગોલણીયા ગામ પાસે દુધાળા ડેમ નજીકની નદીમાં ન્હાવા પડેલા રાજકોટના એક યુવાનનું નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેની સાથે રહેલા બે મિત્રોનો બચાવ થયો છે. ફાયરના સ્ટાફે મૃતદેહને નદીમાંથી શોધી કાઢ્યો છે.
કાલાવડ તાલુકાના ગોલણીયા ગામ પાસે આવેલા દુધાળા ડેમ નજીક સોમવારે રાજકોટના ત્રણ યુવાનો ફરવા માટે આવ્યા હતા.
આ યુવાનો ડેમ નજીકની નદીમાં ન્હાવા પડ્યા પછી ડૂબવા માંંડયા હતા. ત્રણમાંથી બે યુવાનોને કાંઠા પર હાજર લોકોએ બહાર કાઢી લીધા હતા. જ્યારે ત્રીજો યુવાન નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બાબતની જાણકારી આપવામાં આવતા જામનગર ફાયરબ્રિગેડ તથા કાલાવડનો ફાયર સ્ટાફ ધસી ગયો હતો.
અંદાજે દોઢેક દિવસ સુધી તે યુવાનની નદીમાં શોધખોળ કરવામાં આવ્યા પછી આજે તે યુવાનનો નદીના પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું નામ ધવલ મહેશભાઈ જેઠવા (ઉ.વ.ર૮) અને રાજકોટના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial