Advertisement
Author: નોબત સમાચાર

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી

જામનગર તા. ૨૧ઃ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા ૪-ઓશવાળ કોલોનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરિદ્ર નારાયણ (અંત્યોદયના લાભાર્થીઓ)ના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, રણજીતનગર વેપારી એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ લાખાણી, દિગ્જામના જયેશભાઈ મહેતા, નવાગામ રાજપૂત સમાજના દિલીપસિંહ જેઠવા, ક્રિષ્નાબેન ઠકકર, રમેશભાઈ દત્તાણી, મનોજભાઈ ભટ્ટી, જગદીશભાઈ ચાવડા, ભાવેશભાઈ તન્ના, રાજેશભાઈ દસડીયા દર્શન મહેતા, મહેશભાઈ કોળી, ઉર્મિલાબેન ઉમરાણીયા (વોર્ડ નં.૧), જુલીબેન ચુડાસમા (વોર્ડ નં.૧પ), પ્રકાશભાઈ કનખરા, પ્રમોદભાઈ રાજાણી, અતુલભાઈ કાતર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી જલારામ સેવા ટ્રસ્ટ - હાપા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી તા. ર-૧૦-ર૩ ના સાંજે ૭-૩૦ વાગ્યે ૪-ઓશવાળ કોલોની, સુમેર કલબ રોડ, જલારામ અન્નક્ષેત્રવાળી શેરી, જામનગરમાં કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh