Advertisement
Author: નોબત સમાચાર

હાલારી વિશા ઓશવાળ સમસ્ત જ્ઞાતિજનોના સવંત્સરી જમણનું આયોજન

જામનગર તા. ર૧ઃ હાલારી વિશા ઓશવાળ સમાજ દ્વારા જામનગર શહેર તથા બાવન ગામમાં વસતા સમસ્ત જ્ઞાતિજનો માટે આનાફોળથી સંવત્સરી જમણનું આયોજન તા. ર૪-૯-ર૩ ના સવારે ૧૧ થી બપોરે ર વાગ્યા સુધી ઓશવાળ સેન્ટર, જામનગરમાં કરવામાં આવ્યું છે.

પર્યુષણ પર્વમાં અઠ્ઠમ કે તેનાથી ઉપરની તપસ્યા કરેલ તપસ્વીઓના નામ ભવ્ય સુમરીયા (૯૧પ૭૮ ૪૦૯૭૩)ને તા. ર૩-૯ સુધીમાં સાંજે પ થી ૯ દરમ્યાન નોંધાવી દેવાના રહેશે.

આ સંવત્સરી જમણ સંપૂર્ણ પણ બેસાડીને જમાડવાનું આયોજન કરેલ છે. આ માટે દરેક હાલારી વિશા ઓશવાળ સ્નાત્ર મંડળ તેમજ મહિલા મંડળ, ઓશવાળ સ્ટુડન્ટ યુનિયન તેમજ દરેક ઘર દીઠ એક વ્યક્તિને પીરસવાના કાર્યમાં હાથ-સહકાર આપવા અનુરોધ કરાયો છે. વસ્તીગ્રંથ (ડિરેકટરી) તથા આઈ-કાર્ડ અંગેના ફોર્મ જેને ભરવાના બાકી હોય તે સંવત્સરી જમણવાર દરમ્યાન કાઉન્ટર પરથી ફોર્મ મેળવી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh