Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક સ્થળે વરસ્યા ઝાપટાં
જામનગર તા. ર૧ઃ જામનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં તાલુકા મથકોએ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, અને વરાપ નીકળ્યો હતો, જો કે અમુકગામડામાં ઝાપટાં વરસ્યા હતાં.
જામનગરમાં ગઈકાલે બપોર સુધી વરસાદી માહોલ જોવા મળ્યા પછી તડકો જોવા મળ્યો હતો, અને સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. માત્ર લાલપુરમાં ૩ મી.મી.નું ઝાપટું વરસ્યું હતું.
જો કે, અમુક ગામડામાં હળવો વરસાદ થયો હતો. જેમાં વસઈમાં ૬ મી.મી., લાખાબાવળમાં પ મી.મી., મોટી બાણુંગારમાં ૧પ, ફલ્લામાં ૮, જામવણંથલીમાં ૧૬,મોટી ભલસાણમાં પ, અલિયાબાડામાં ૬, દરેડમાં ૪, હડિયાણામાં ૧૦, બાલંભામાં પ, પીઠડમાં પ, લતીપુરમાં ૬, નવાગામમાં ૧૦, મોટા પાંચ દેવડામાં પાંચ મી.મી., સમાણામાં ૪, જામવાડીમાં ૬, વાંસજાળિયામાં ૮, ધુનડામાં ર, ધ્રાફામાં ૪, મોટા ખડબામાં ૪, મોડપરમાં ૮ અને હરિપરમાં ૭ મી.મી. વરસાદ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial