Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાસપીઠ પર ભાગવતભૂષણ અશ્વિન મહારાજ બિરાજશે
દ્વારકા તા. ૧રઃ દ્વારકાના સમુદ્ર કિનારે આવેલા વૈકુંઠધામમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.
દ્વારકાના સમુદ્ર કિનારે સ્મશાનગૃહ નજીક આવેલા વૈકુંઠધામમાં આગામી તા. ૧૯-૪-ર૦રપ થી તા. ર૭-૪-ર૦રપ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાગવત ભૂષણ શ્રી અશ્વિન મહારાજ (શિવહરી) દ્વારકાવાળા બિરાજીને સાંજે ૪ થી ૭ દરમિયાન કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૃક્ષ્મણી વિવાહ સહિતના ઉત્સવો ભક્તિભાવપૂર્વક ઉજવાશે. પોથીયાત્રા તા. ૧૯મી ના સંકીર્તન મંદિર (રામધૂન) થી બપોરે ૩.૦૦ કલાકે નીકળશે અને શહેરના રાજમાર્ગો પર ફરીને કથા સ્થળે પહોંચશે. ભાગવત કથાનું રસપાન કરવા દ્વારકાની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial