Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં ૩૦ દિ' થી વધુ રોકાતા વિદેશીઓ માટે એલિયન રજીસ્ટ્રેશન ફરજીયાત

નિયમ પાલન નહીં કરનારને જેલ, દંડ અથવા દેશનિકાલની સજા

                                                                         

વોશિંગ્ટન તા. ૧૨ઃ અમેરિકામાં ૩૦ દિવસથી વધુ સમયથી રહેતા વિદેશી નાગરિકો માટે નોંધણી ફરજિયાત કરાઈ છે. નિયમનું પાલન નહીં કરે તો જેલ, દંડ અને દેશનિકાલની સજા કરાશે.

અમેરિકાના વ્હાઇટ હાઉસે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ અમેરિકામાં ૩૦ દિવસથી વધુ સમય સુધી રહેતા તમામ વિદેશી નાગરિકોએ ફેડરલ સરકાર સાથે પોતાની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. આ નિયમનું પાલન ન કરનારા વિદેશી નાગરિકોને ગંભીર પરિણામો ભોગવવા પડશે, જેમાં દંડ, જેલની સજા અથવા બંને શામેલ છે.

આ ઉપરાંત, જો નોંધણી નહીં કરાવે તો તેમને ધરપકડ, દંડ અને દેશનિકાલનો સામનો કરવો પડશે, સાથે જ તેઓ ફરીથી અમેરિકામાં પ્રવેશી શકશે નહીં. આ જાહેરાત વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ દ્વારા કરવામાં આવી હતી, જેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, અમેરિકામાં ૩૦ દિવસથી વધુ રહેતા તમામ વિદેશી નાગરિકોએ ફેડરલ સરકાર સાથે નોંધણી કરાવવી જરૃરી છે. આ નિયમનું ઉલ્લંઘન કરવું એ ગુનો છે, જેની સજા દંડ, જેલ અથવા બંનેના રૃપમાં થઈ શકે છે.

અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વિદેશી નાગરિકે અમેરિકામાં પ્રવેશ્યા પછી ૩૦ દિવસની અંદર નોંધણી કરાવવી આવશ્યક છે. આ નોંધણી પ્રક્રિયામાં ફિંગરપ્રિન્ટ્સ સબમિટ કરવાનો પણ સમાવેશ થાય છે. આ નિયમ એલિયન રજિસ્ટ્રેશન એક્ટના ભાગરૃપે લાગુ કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહીનો માર્ગ મોકળો કરે છે.

એલિયન રજિસ્ટ્રેશન એક્ટ એ અમેરિકાનો એક કાયદો છે, જે મુજબ દેશમાં રહેતા વિદેશી નાગરિકોએ સરકાર સાથે પોતાની નોંધણી કરાવવી જરૃરી છે. આ કાયદાનો હેતુ ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓને ગુનાહિત ચાર્જનો સામનો કરવો પડી શકે છે, જે સિવિલ ગુના કરતાં વધુ ગંભીર માનવામાં આવે છે.

એક્સ પ્લેટફોર્મ પર આ જાહેરાતને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો આ નિર્ણયને ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની કડક કાર્યવાહી તરીકે જુએ છે, જ્યારે અન્ય લોકો નોંધણી પ્રક્રિયાની જટિલતા અને તેના માનવાધિકાર પરની અસરો અંગે ચિંતા વ્યક્ત કરી રહૃાા છે. એક યુઝરે લખ્યું, આ નિયમથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલનો ભય રહેશે, પરંતુ તેનો અમલ કેવી રીતે થશે તે જોવું રહૃાું.

આ નિર્ણયને રાજકીય વર્તુળોમાં પણ ધ્યાન ખેંચ્યું છે. ઇમિગ્રેશન એક મોટો મુદ્દો રહૃાો છે, અને આ નવો નિયમ ટ્રમ્પ વહીવટની ઇમિગ્રેશન નીતિઓને વધુ મજબૂત કરવાની દિશામાં એક પગલું માનવામાં આવે છે. જોકે, આ નિયમનો વિરોધ કરનારા જૂથો તેની સામે કાનૂની પડકારો ઊભા કરી શકે છે.

રજીસ્ટ્રેશન માટે વિદેશી નાગરિકોએ આઈસીઈની વેબસાઇટ પરથી નોંધણી ફોર્મ મેળવવું., ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય ઓળખના દસ્તાવેજો સબમિટ કરવા અને ૩૦ દિવસની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવી જરૃરી હોવાનું જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh