Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હનુમાન ચરિત્ર કથાનો ત્રિ-દિવસીય ધાર્મિકોત્સવઃ લોકડાયરો
મીઠાપુર તા. ૧રઃ દ્વારકાના વાચ્છુ ગામે હનુમાન જન્મોત્સવની વિશેષ ઉજવણી રૃપે ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો યોજાશે. હનુમાનજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ચાર દિવસ મહાપ્રસાદ, રામધૂન, મહાઆરતી અને રાજભા ગઢવી દ્વારા લોકડાયરો જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
પ્રથમ દિવસે તા. ૧ર ને શનિવારે હનુમાન જન્મોત્સવની વિશેષ ઉજવણીના ભાગરૃપે ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠાનો શુભારંભ, હનુમાન ચરિત્ર કથાની પોથી યાત્રા ઉપરાંત મહાઆરતી અને બપોરે તેમજ સાંજે મહાપ્રસાદ થશે. ઓખાના ચૈતન્યભાઈ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે. તા. ૧ર ને શનિવારથી તા. ૧પ ને મંગળવાર સુધી બપોરે ૩-૩૦ થી ૭ કટાનું આયોજન રાખેલ છે. જેમાં સૌ પધારેલા મહેમાનો માટે દરરોજ સાંજે ૭ વાગે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
કથા કાર્યક્રમના અંતિમ દિવસે તા. ૧પ ને મંગળવારે રાત્રે ૧૦ વાગે લોકડાયરાનું આયોજન કરાયું છે. ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને અનુભા ગઢવી પોતાના ચારણી સાહિત્યથી સૌ શ્રોતાઓને ભક્તિ રસમાં રસતરબોળ કરશે. ઉપરોક્ત ધાર્મિક પ્રસંગે સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક વિરમભા આશાભા માણેક પરિવાર તથા પબુભા માણેક અને વાચ્છુ ગ્રામજનોએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial