Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામરાવલ તથા આજુબાજુના લોકોના લાભાર્થે
રાવલ તા. ૧રઃ આવતીકાલે તા. ૧૩-૪-ર૦રપ ને રવિવારે ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રાવલ અને રણછોડદાસજી બાપુ ચેરી. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ-રાજકોટ તથા શ્રી ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રાવલના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ દરમિયાન સરકારી હોસ્પિટલમાં નેત્રયજ્ઞ યોજાનાર છે, જેમાં રાવલ તથા આજુબાજુના વિસ્તારના લોકોના દર્દીઓને રાજકોટની પ્રખ્યાત શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હોસ્પિટલના સહયોગથી ફેંકો પદ્ધતિથી ટાંકા વગરનું મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી આપવામાં આવશે. ઓપરેશનની જરૃરિયાતવાળા દર્દીને રાજકોટ હોસ્પિટલની બસમાં રાજકોટ લઈ જવાશે. ઓપરેશન પૂરા થયે એ જ બસમાં દર્દીને રાવલ પહોંચાડી દેવામાં આવશે. દરેક દર્દીને હોસ્પિટલમાં રહેવા-જમવા, ચા, નાસ્તો તેમજ શુદ્ધ ઘીનો શીરો, ચા-પાણી, ચશ્મા, દવા ટીપાં તેમજ ધાબળો ત્યાંથી મફત આપવામાં આવશે. વધુ વિગત માટે વિનોદભાઈ ગોકાણી-મો. ૯૪ર૭ર પ૯૧૦૮ નો સંપર્ક સાધવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial