Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બાલાહનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીઃ મહાઆરતી

ભકતોની ભારે ભીડઃ ટ્રસ્ટ પ્રમુખ જીતુભાઈ લાલ, હોદ્દેદારો, વિનુભાઈ તન્ના, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પૂજારીવર્ગ અને સેવકગણ, સ્વયંસેવકો જોડાયા

                                                                                  

ધર્મનગરી જામનગરમાં તળાવની પાળ પર આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતી પર્વ નિમિત્તે વિશેષ સેવા પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. વહેલી સવારે પણ  મહાઆરતીમાં ભક્તોનો સાગર ઉમટ્યો હતો. તેમજ એ પછી પણ અવિરત ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ જીતુભાઇ લાલ તથા વિનુભાઇ તન્ના સહિતનાં હોદ્દેદારો, પૂજારી અને સેવકગણ તથા સ્વયંસેવકો દ્વારા આજનાં ધર્મોત્સવને લઇને જહેમત ઉઠાવવામાં આવી રહી છે.જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, કે જેઓ ની આજે પ્રભુ ભક્તિ જોવા મળી હતી. તેઓ હનુમાનજીના ભક્ત છે, અને શનિવારે પોતાના પરિવાર સાથે સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરે શીશ ઝુકાવવા માટે આવે છે. તેઓએ આજે હનુમાન જયંતીના પર્વને અનુલક્ષીને તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા બાદ ત્યાં ચાલતી અખંડ રામધૂનમાં પોતે જોડાયા હતા, અને 'શ્રીરામ જયરામ જય જય રામ, ની ધૂન બોલાવીને પોતાની પ્રભુ ભક્તિ દર્શાવી હતી. આ ઉપરાંત પણ વિવિધ હનુમાન મંદિરોએ મહાઆરતી, અન્નકૂટ ઉત્સવ તથા બટુક ભોજન તથા મહાપ્રસાદ સહિતનાં આયોજનો કરવામાં આવ્યા છે. ધર્મનગરી તરીકેની ઓળખ ધરાવતા જામનગરમાં આજે સર્વત્ર હનુમાનજીનો જયઘોષ ગૂંજતો જોવા મળી રહૃાો છે. આ ઉપરાંત પણ વિવિધ હનુમાન મંદિરોએ મહાઆરતી, અન્નકૂટ ઉત્સવ તથા બટુક ભોજન તથા મહાપ્રસાદ સહિતનાં આયોજનો કરવામાં આવ્યા છે. ધર્મનગરી તરીકેની ઓળખ ધરાવતા જામનગરમાં આજે સર્વત્ર હનુમાનજીનો જયઘોષ ગૂંજતો જોવા મળી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh