Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ વિજય સિનેમા રોડ પરથી સુખનાથ મહાદેવ મંદિર સુધીનો રસ્તો તૈયાર

લોકો માટે આ રસ્તો બન્યો "નિરાંત"નું સ્થળ

                                                                         

 ખંભાળીયા તા. ૧૨ઃ ખંભાળીયા શહેરમાં મિલન ચાર રસ્તા પાસે પોરબંદર રોડ, જામનગર રોડ, દ્વારકા રોડ તથા નગરગેઈટથી ખંભાળીયા રોડ આ ચારેય રસ્તા પરથી મોટો ટ્રાફિક આવતો હોય, તથા ચારરસ્તા જયાં ભેગા થાય ત્યાં ખૂબ જ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય, પાલિકા દ્વારા અઢીવર્ષ પહેલા બે તબક્કામાં વિજય સિનેમા પાસે તેલી નદી પાસેથી નવ મીટર પહોળા, ફૂટપાથ અને બેસવાના બાંડકા સાથેની સુવિધા તથા પૂર રક્ષક આરસીસીની દીવાલ સાથે રોડ બનાવવાનું મંજૂર થયું હતું.

બે તબક્કામાં થયેલા આ કામમાં ૩૦ લાખના ખર્ચે આરસીસીની દીવાલ તથા રોડ, ફૂટપાથ સાથે ર૮૦ મીટર લંબાઈનો રોડ બની ગયો છે. લોકોને પોરબંદર રોડ તથા સલાયા નાકા વિસ્તાર ભાણવડ તરફ જવા અત્યંત ટૂંકો અને ટ્રાફિક વગરનો આ રસ્તા પર બાંકડા ગોઠવેલ હોય, લોકો માટે 'નિરાંત' નું સ્થળ બની ગયો છે.

આ રસ્તો બનાવવા માટે તત્કાલીન ચીફ ઓફિસર યશવંતસિંહ વાઘેલાએ પણ જહેમત ઉઠાવી હતી તથા રસ્તાને નડતરરૃપ વીસેક હજાર ફૂટની કિંમતી જગ્યાનું ડિમોલિશન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh