Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ડો. બાબાસાહેબ આંબેડર જન્મ જયંતી મહોત્સવઃ સોમવારે ભવ્ય શોભાયાત્રા

૧૩૪ મી જન્મ જયંતીએ આંબેડકરજીને પૃષ્પહાર થશેઃ

                                                              

જામનગર તા. ૧રઃ જામનગરના બૌદ્ધ સમાજ તથા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન તા. ૧૪-૪-ર૦રપ (સોમવાર) ના દિને કરવામાં આવ્યું છે.

જેમાં સવારે ૮ થી ૯ કલાકે વંદના, ૯ થી ૧ર સુધી પુષ્પહાર તેમજ બપોરે ૩-૩૦ વાગ્યે ભીમ શોભાયાત્રાનું પ્રસ્થાન જુના રેલવે સ્ટેશન, મહાત્મા જ્યોતિબા ફૂલે ચોકથી કરવામાં આવશે અને ત્યારપછી સાંજે ૭ વાગ્યે વંદના સભા યોજાશે.

આ શોભાયાત્રા ડો. આંબેડકર માર્ગ, મહાત્મા જ્યોતિબા ફૂલે ચોક, જુના રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન થઈ ત્રણબત્તી ચોક, બેડીગેઈટ, રણજીત રોડ, ચાંદીબજાર, સેન્ટ્રલ બેંક, હવાઈચોક, પંચેશ્વર ટાવર, વિભાજી સ્કૂલ થઈ ડો. આંબેડકરની પ્રતિમા, લાલબંગલા પાસે વંદના સભામાં પરિવર્ત થશે તેમ બૌદ્ધ સમાજ, જામનગરના પ્રમુખે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh