Advertisement
Author: નોબત સમાચાર

માર્ગો પર ગાયને ઘાસ નહીં આપતા, ગૌશાળા કે મનપાને દાન કરોઃ જેએમસીની અપીલ

જામનગર મનપાએ 'બનો પશુ મિત્ર' શિર્ષક હેઠળ પત્રિકાઓ છપાવીઃ

                                                                               

જામનગર તા. ૧રઃ જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દૂર કરવા કેટલ પોલિસીની કડક અમલવારી કરવામાં આવી રહી છે.

હવે મહાનગરપાલિકા દ્વારા 'બનો પશુ મિત્ર' નામથી પેમ્પલેટ છપાવ્યા છે. જેનું અખબાર મારફત ઘરે ઘરે વિતરણ થઈ રહ્યું છે. જેમાં લખાયું છે કે, ગાયને ઘાસચારો આપવા ગૌશાળામાં જવું, પરંતુ રોડ ઉપર નાખવો નહીં. લોકો દાનની રકમ સીધી મહાનગર પાલિકામાં પણ જમા કરાવી શકે છે.

જાહેરમાં વેંચાતા ઘાસચારો વેંચવામાં આવતો હોવાથી ઢોરનો ત્રાસ રહેતો હતો. આથી મહાનગર પાલિકાએ કેટલ પોલિસીની કડક અમલવારી કરી ઢોરને શહેરની બહાર લઈ જવા ઢોર માલિકોને સમજાવ્યા હતાં. આ પછી ગેરકાયદે વેંચાતો ઘાસચારો જપ્તિમાં લેવાની કામગીરી શરૃ કરી હતી.

હવે મહાનગરપાલિકા દ્વારા પેમ્પલેટ છપાવવામાં આવ્યા છે. આશરે ૧ લાખ પેમ્પલેટ છપાવી અખબારો મારતફ તેનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું છે.

તેમાં એવી અપીલ કરવામાં આવી છે કે, મહાનગરપાલિકાની એપ્લીકેશન જેએમસી કનેક્ટ મારફત સીધી દાન કરી શકો છો. તેમાં અપાયેલ ક્યુઆર કોડ સ્કેન કરીને મહાનગર પાલિકાના ઢોરવાડામાં રહેલ ઢોરને ઘાસચારા માટે દાન આપી શકાય છે, અને શહેરના સ્વચ્છ રાખવામાં પણ સહયોગ મળી શકે છે.

આમ શહેરમાંથી રસ્તે રઝળતા ઢોરનો રાસ દુર કરવા વધુ એક નવો માર્ગ મહાનગરપાલિકાએ અપનાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh