Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભક્તોની ભીડ વચ્ચે હનુમાન જયંતીના દિને નિભાવાઈ પ્રાચીન પરંપરાઃ બજરંગબલીના હાવભાવમાં અનોખા દર્શનઃ હનુમાનજી વંદના
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં કિસાન ચોક પાસે આવેલ અતિ પ્રાચીન શ્રી ફૂલિયા હનુમાન મંદિરે હનુમાન જયંતી પર્વની ઉજવણી નિમિત્તે વહેલીસવારે મહાઆરતી કરવામાં આવી હતી. અહીં હનુમાન જયંતીના દિને પૂજારી દ્વારા સિંદુરપાન કરવામાં આવે છે તેમજ પૂજારી પર શક્તિપાત થતો હોવાની માન્યતા છે. આજે પણ આ પરંપરા નિભાવાઈ હતી અને પૂજારી દ્વારા સિંદુરપાન કરવામાં આવ્યું હતું. સિંદુર પાનથી શરીરને ગંભીર નુક્સાન થઈ શકે છે, પરંતુ અહીં પ્રતિવર્ષ પૂજારી દ્વારા સિંદુર પાન કરવામાં આવતું હોવા છતાં તેમને કોઈ વિપરીત અસર ન થતી હોય, આ ઘટનાને ભક્તો ચમત્કાર સમાન માને છે. આજે પણ સિંદુરપાન પછી પૂજારીના હનુમાનજી સમાન હાવભાવમાં ભક્તોએ શક્તિપાતની અનુભૂતિ કરી હનુમાન વંદના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial