Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાડી ચામડીનું જાડા જવાબ આપતું નથી !
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ઓમ રેસિડેન્સીની બેન્કમાં રહેલી ફિકસ ડિપોઝિટ (એફ.ડી.)માં વ્યાજ ઓછું મળતું હોવાથી એફડીમાં ફેરફાર કરવાની મંજુરી આપવાની માંગણી કરવામાં આવી છે. ઓમ રેસીડેન્સીના પ્રમુખ ધીરજ એલ. પંડ્યા અને મંત્રી જય ડી. વસાએ જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (જાડા)ના ચેરમેનને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, આ સોસાયટીને મળેલ મેન્ટનન્સથી કુલ રૃા. ૩ કરોડ ૮૯ લાખની રકમની એફ.ડી. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કની ગોકુલનગર શાખામાં વાર્ષિક પ.પ૦ ટકાના વ્યાજદરે મુકવામાં આવી છે. જેમાંથી દર માસે મળતા વ્યાજમાંથી સોસાયટી માટે જરૃરી ખર્ચ કરવામાં આવે છે.
પરંતુ તાજેતરમાં બેન્કનું વ્યાજદર વધ્યા છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક પણ હાલ એફડી માટે ૭.રપ ટકાના દરે વ્યાજ આપે છે. આથી અમારી સોસાયટીની એફડીની રકમ મુદ્દત પહેલા ઉપાડવાની મંજુરી આપવામાં આવે તો એ રકમ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કની જ હરિયા સ્કૂલ માર્ગની બ્રાન્ચમાં રાખવાનું આયોજન છે જેનાથી અમારી સોસાયટીને વ્યાજની આવકમાં વધારો થઈ શકે છે.
આથી આ બાબતે અમોને મંજુરી આપવી જોઈએ. આ બાબતે અગાઉ બે વખત લેખિત અને ચારેક વખત મૌખીક રજુઆત કરવામાં આવી હતી. છતા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. હવે સત્વરે યોગ્ય નિર્ણય લેવાની જરૃર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial