Advertisement
Author: નોબત સમાચાર

જેલમાંથી પેરોલ મુક્ત થઈ પલાયન થયેલો પાકા કામનો કેદી એલસીબીની ગિરફતમાં

કચ્છના કંડાગરા ગામમાંથી ઝડપાઈ ગયોઃ

જામનગર તા.૧૮ ઃ વાડીનારના એક શખ્સને અદાલતે ફટકારેલી પાંચ વર્ષની કેદની સજા દરમિયાન જેલમાંથી પેરોલ પર મુક્ત થઈ આ શખ્સ નાસી ગયો હતો. તેને કચ્છ જિલ્લામાંથી દ્વારકા એલસીબીએ પકડી પાડ્યો છે.

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના ફકીરમામદ હુસેન સુંભણીયા નામના શખ્સ સામે ગયા વર્ષે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયા પછી તેને અદાલતે પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.

સજા કાપવા માટે ફકીર મામદને રાજકોટની જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાંથી હાઈકોર્ટના આદેશ અનુસાર પંદર દિવસના પેરોલ પર તેને મુક્ત કરાયો હતો. ગઈ તા.૨૮ જુનના દિને આ શખ્સે જેલમાં હાજર થવાનું હતું પરંતુ હાજર થવાને બદલે ફકીરમામદ નાસી ગયો હતો.

ઉપરોક્ત આરોપી કચ્છના મુદ્રા નજીકના કંડાગરા ગામ પાસે હોવાની બાતમી દ્વારકા એલસીબીના સજુભા, જેસલસિંહ, સહદેવસિંહને મળતા પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળની ત્યાં દોડી ગયેલી ટીમે આરોપીને પકડી લીધો છે અને તેનો કબજો રાજકોટ જેલને સોંપવાની તજવીજ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh