Advertisement
Author: નોબત સમાચાર

બર્ધનચોકમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર પાંચ આરોપીનો થયો છૂટકારો

જામનગર તા.૧૮ ઃ જામનગરના બર્ધનચોકમાં પથારો કરનાર એક યુવક પર પાંચ વર્ષ પહેલા પાંચ શખ્સે લાકડી-પાઈપથી જીવલેણ હુમલો કર્યાે હતો. આ કેસમાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં પથારો કરતા સાગર રાજુભાઈ પરમાર નામના યુવાન પર કટલેરીની રેંકડી રાખવાના પ્રશ્ને ગઈ તા.૯-૧-૧૮ના દિને રફીક ગુલામહુસેન મેતર, સલીમ ગુલામહુસેન, શકીલ ગુલામહુસેન, ગુલઝાર ઉર્ફે જાડા મેતર, જાવિદ ફારૃક મુલ્લા કાઝીએ પાઈપ, લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો અને વચ્ચે પડનાર કસ્તુરબેન ધનાભાઈને પણ ફટકાર્યા હતા.

આ બાબતની ફરિયાદ થતાં પોલીસે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી આરોપીઓ તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh