Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વળતરપેટે ચૂકવવાનો આદેશઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના એક વેપારીએ લાલપુરના વેપારી સામે રૃા.ર લાખના ચેક પરતની ફરિયાદ કર્યા પછી અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૨ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.
જામનગરના મચ્છરનગરમાં રહેતા વેપારી હર્ષદીપસિંહ બનેસિંહ ગોહિલ પાસેથી લાલપુરની ભાટિયા શેરીમાં રહેતા રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા નામના વેપારીએ છ મહિના માટે રૃા.૨ લાખ હાથ ઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક નિયત તારીખે બેંકમાં રજૂ કરવામાં આવતા પરત ફર્યાે હતો. તેથી નોટીસ આપ્યા પછી હર્ષદીપસિંહે જામનગરની અદાલતમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપીએ ઉપરોક્ત ચેક એક વાહનના વેચાણ વખતે ફરિયાદીએ રાખી લીધા હોવાની દલીલ કરી હતી. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી રાજેન્દ્રસિંહ મનુભા જાડેજાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૨ લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial