Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૮ઃ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરૃષોત્તમમાસ (અધિક શ્રાવણ) દરમ્યાન વિવિધ ઉત્સવો ઉજવવામાં આવશે. જેનો દર્શનનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તા. ર૦-૭-ર૩ થી તા. ૧૬-૮-ર૩ સુધી દરરોજ મંગલા આરતી સવારે ૬ વાગ્યે થશે.
તા. ર૦-૭ ના અક્ષય તૃતીયા ઉત્સવમાં સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સવારે ૧૦ થી ૧ર દર્શન બંધ રહેશે. ઉત્સવ દર્શન બપોરે ૧ર થી ૧-૩૦ સુધી અને સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તા. ર૩-૭ ના વસંતપંચમી ઉત્સવમાં સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ, ઉત્સવ દર્શન બપોરે ૧ થી ર સુધી, અનોસર (બંધ) બપોરે ર થી પ સુધી અને સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.
તા. ર૭-૭ ના રામનવમી ઉત્સવમાં સવારનો ક્રમ અને સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સવારે ૧૦ થી ૧ર દર્શન બંધ, ઉત્સવ દર્શન બપોરે ૧ર થી ૧-૩૦ સુધી રહેશે. અનોસર (બંધ) બપોરે ૧-૩૦ થી પ સુધી રહેશે. તા. ૧-૮ ના દેવ દિપાવલી ઉત્સવમાં સવાર-સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ઉત્સવ સાંજે ઉજવાશે. તા. ૮-૮ ના જન્માષ્ટમી ઉત્સવમાં સવારે ૮ થી ૮-૩૦ સુધી ખુલ્લા પડદે અભિષેક, ૧૧ વાગ્યે આરતી દર્શન, ૧ થી પ સુધી અનોસર (બંધ)સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૯ વાગ્યે શયન (બંધ), રાત્રે ૯ થી ૧ર મંદિર બંધ, ઉત્સવ આરતી રાત્રે ૧ર વાગ્યે, રાત્રે ૧ર થી ૧ સુધી ઉત્સવ દર્શન અને રાત્રે ૧ વાગ્યે અનોસર (બંધ) થશે. તા. ૯-૮ ના પારણા નોમ નિમિત્તે સવારે ૭ વાગ્યે આરતી, બપોરે ૧ થી પ સુધી અનોસર (બંધ) થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial