Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા મહિના સુધી દુષ્કર્મ ગુજારાયાનો મુકાયો હતો આરોપઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના એક ગામની સગીરાનું પાંચ વર્ષ પહેલા અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં સંડોવાયેલા આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની તેર વર્ષની પુત્રીને વર્ષ ૨૦૧૮માં આકાશ છોટુ નિમાવત નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી પોતાની સાથે નસાડી ગયો હતો. પ્રેમજાળમાં ફસાયેલી તે સગીરા પર સવા મહિના સુધી આકાશે દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ તરૃણીને એક આશ્રમમાં પણ રાખવામાં આવી હોય, સંપતરામ નંદરામ અગ્રાવત નામના અન્ય શખ્સ સામે પણ મદદગારીનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે આપીસી તેમજ પોક્સોના કાયદા હેઠળ ચાર્જશીટ તૈયાર કરી પોક્સો કોર્ટમાં રજૂ કર્યું હતું. તે કેસ ચાલી જતાં અદાલતમાં આરોપી આકાશ નિમાવતના વકીલે દલીલ કરી હતી કે, ભોગ બનનાર અઢાર વર્ષથી નાની હોવાનું પુરવાર થયું નથી. સમગ્ર પુરાવો જોતા તેણીને આરોપી નસાડી ગયો હોય કે દુષ્કર્મ ગુજાર્યું હોય તે સાબિત થતું નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો કર્યાે છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, સંજય દાઉદીયા, જે.ડી. ગણાત્રા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial