Advertisement
Author: નોબત સમાચાર

આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી

ખંભાળિયા તા. ૧૮ઃ ખંભાળિયા તથા સલાયામાં આમ આદમી પાર્ટીના સંગઠન અંગે મિટિંગો યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ઝોન સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, ભાવેશભાઈ, હિતેષભાઈ પંચમતિયા, શૈલેષભાઈ ગોસરાણી, દેવાભાઈ ભારવાડિયા, રામશીભાઈ ભાટિયા, હિતેન્દ્રસિંહ જાડેજા વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતાં. સલાયામાં બલદેવભાઈ ગઢવી, દેવુભાઈ ગઢવી, હાજી અમીનભાઈ, જુનુસભાઈ ભગાડ, ડાયાલાલ ચોપડા, વગેરે જોડાયા હતાં.

આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં વજશીભાઈ વારોતરિયા (પ્રમુખ-કલ્યાણપુર તાલુકો), દિનેશભાઈ સુવા (ઉપપ્રમુખ), જગદીશ ગોહિલ (ઓખા શહેર પ્રમુખ), ઈબ્રાહીમ શેખ (મંત્રી), નીતિનભાઈ ચાવડા (મંત્રી), હરેશભાઈ પાણખાણિયા, મામદભાઈ સુંભણિયા (ઉપપ્રમુખ), નિલેશ નકુમ (ખંભાળિયા તાલુકા પ્રમુખ), બળુભા જાડજા (મહામંત્રી), હાઉન ગંધાર, માલદે જીવા સાજણ દેવરિયા (ઉપપ્રમુખ), કેશરીસિંહ ચાવડા (ખંભાળિયા યુવા પ્રમુખ), જેઠાલાલ નંદાણિયા (ઉપપ્રમુખ) ની નિયુક્તિ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh