Advertisement
Author: નોબત સમાચાર

શહેરમાં ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે છે કે ધંધા માટે?

સુપ્રિમ કોર્ટની ટિપ્પણીનું થયું ઉલ્લંઘનઃ

જામનગર તા. ૧૮ઃ તાજેતરમાં દીવાની સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો હતો કે ફૂટપાથ માત્ર રાહદારીઓને ચાલવા માટે છે. તેનો અન્ય હેતુ માટે ઉપયોગ થઈ શકે નહીં, જ્યારે સવાલ એવો ઊભો થાય છે કે જામનગરમાં ક્યાંય પણ ફૂટપાથ ચાલવા માટે ખુલ્લી છે ખરી? આમ જામનગરમાં નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને નેતાઓ નિષ્ફિકર બનીને બેઠા છે, તો રાહદારીઓ પરેશાન છે.

માર્ગો ઉપર ફૂટપાથો બનાવવામાં આવી છે, જેથી રાહદારીઓ તેના ઉપર ચાલી શકે, પરંતુ આવી ફૂટપાથો ચાલવા યોગ્ય છે ખરી?

જામનગરમાં અનેક માર્ગો ઉપર ફૂટપાથ બનાવાઈ છે, પરંતુ ત્યાં ધંધાર્થીઓ-દુકાનદારો દ્વારા દબાણો કરી લઈ રાહદારીઓને ચાલવા ઉપર જાણે પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

તાજેતરમાં દિલ્હી મેટ્રોનો ડેપો બનાવવા સંપાદિત કરેલ જમીન પર બનેલી ફૂટપાથ ઉપરના દબાણો સામે જરૃરી કાર્યવાહી કરવાનો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે ફૂટપાથો એ રાહદારીઓને ચાલવા માટે છે. ત્યાં કોઈપણ જાતના દબાણો ચલાવી લેવાય નહીં. દેશની સર્વોચ્ચ અદાલત ટિપ્પણી કરે, પરંતુ જામનગરના તંત્રને કોઈ ફરક પડતો નથી.

જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ ઉપર રેંકડીઓ, ધંધાર્થીઓ, ફેરિયાઓનો કબજો છે. ત્યાં રાહદારીઓ કેવી રીતે ચાલી શકે? જામનગરના લોકોનું હિત હૈયે હોય તો આવી ફૂટપાથો રાહદારીઓને ચાલવા માટે ખુલ્લી કરાવવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh