Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગર સ્થિત કે.પી. શાહ વાડી તથા નંદનપાર્ક-૧ મેઈન રોડ ઉપર વારંવાર ગટરનું પાણી ફરી વળે છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં ચારથી પાંચ દિવસ સુધી ગટર છલકાતી રહે છે અને ગંદુ પાણી માર્ગો પર ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રામેશ્વરનગર પાછળ આવેલ આવળ સ્ટોર્સવાળા મેઈન રોડ પર પણ ગટર વાંરવાર ઉભરાતી રહે છે. નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગટરનું પાણી માર્ગો પર ભરાઈ રહે છે.
આ સમગ્ર બાબતે તંત્રને વારંવાર રજુઆતો કરી હોવા છતાં સમસ્યા જેમની તેમ છે. આથી કે.પી. શાહની વાડી તથા નંદનપાર્ક-૧ મેઈન રોડ ઉપર ગટરના પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા સંદર્ભે સ્થાનિકોએ જામ્યુકોના કમિશનરને પત્ર પાઠવીને રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial