Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સાધના કોલોની દુર્ઘટનાના મૃતકોના પરિવાર-ઈજાગ્રસ્તોને મળશે ૧૪.પ૦ લાખની સહાય

સંસદસભ્ય પૂનમબેન માડમે મૃતકોના પરિવારોના ઘેર તેઓને સાંભળ્યાઃ

જામનગર તા. ૧૮ઃ સાધના કોલોની ઈમારત દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો તથા ઈજાગ્રસ્તોને કુલ રૃા. ૧૪,પ૦,૦૦૦ ની સહાય મંજુર કરાઈ છે. સાંસદ પૂનમબેન માડમે મૃતકોના પરિજનોના ઘરે જઈ સાંત્વના પાઠવી તેમની રજૂઆતો સાંભળી હતી.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ ઈમારત ગત્ તા. ર૩-૬-ર૦ર૩ ના સાંજના સમયે ધરાશાયી ગઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતાં તેમજ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણ લોકોના વારસદારોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી પ્રતિમૃતક દીઠ રૃપિયા ૪ લાખની તેમ કુલ રૃપિયા ૧ર લાખની સહાય અને ઈજા પામનાર પાંચ ઈજાગ્રસ્તોને વ્યક્તિદીઠ રૃપિયા પ૦ હજાર એમ કુલ રૃપિયા ર લાખ પ૦ હજારની સહાય મંજુર કરી દેવામાં આી છે. આ સહાય તેમના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે.

સાંસદ પૂનમબેન માડમે સાધના કોલોની ન્યુ હાઉસીંગ બોર્ડના સ્થળે જઈને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી, અને તેમણે સાંત્વના પાઠવી હતી. ઘરના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થતાં તેમની ખોટ પૂરી થઈ શકે નહિં, પરંતુ તેમના પરિવારજનોને આર્થિક રીતે મદદરૃપ થવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. સાંસદે મૃતકોના પરિવારજનો તેમજ બાળકો સાથે વાતચીત કરી તેઓને જરૃર પડે ત્યારે મદદરૃપ થવા જણાવાયું હતું તેમજ ઈજાગ્રસ્તો જલદીથી સ્વસ્થ થાય તેવી કામનાઓ વ્યક્ત કરી હતી.

આ મુલાકાત દરમિયાન સાંસદ પૂનમબેન સાથે મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, અગ્રણી ડો. વિમલભાઈ કગથરા, મામલતદાર વિપુલભાઈ સાકરિયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh