Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના માછીમારોને ૩૧ જુલાઈ સુધીમાં સર્વે કરાવવા તાકીદ

મત્સ્ય બોટોનો ઓનલાઈન સર્વે શરૃ

જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લાની તમામ મત્સ્ય બોટોનો ઓનલાઈન સર્વે કરવાની કામગીરી તા.૧પ જુલાઈથી શરૃ કરવામાં આવી છે. આ કામગીરી તા. ૩૧ જુલાઈ ર૦ર૩ સુધીમાં પૂર્ણ કરવાની હોવાથી સર્વેની કામગીરીમાં દરેક બોટ માલિક દ્વારા સહકાર આપવા અને પોત પોતાની બોટો સત્વરે ફીશરીઝ ગાર્ડ અથવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીનો સંપર્ક કરી સર્વે કરાવવાનો રહેશે. નવી મત્સ્ય સીઝન ચાલુ થતાં સુધીમાં જો બોટ સર્વે કરાવવામાં નહીં આવે તો નિયમોનુસાર ટોકન, લાયસન્સ તથા ડીઝલ સબસીડી કે કોઈપણ પ્રકારની યોજનાનો લાભ મળશે નહીં, ઓનલાઈન સર્વે માટે બોટના ફોટોગ્રાફસ તથા બોટની માપસાઈઝ લેવાની થતી હોય, બોટ માલિકોને પોતાની બોટ વ્યવસ્થિત રીતે પાર્ક કરી, દરેક બોટ પર ફરજીયાત મત્સ્યોદ્યોગ કાયદા અને અધિનિયમ-ર૦ર૩ મુજબનો કલર કોડ કરાવવાનો તથા બોટના નામ અને રજીસ્ટ્રેશન નંબર નિયમ મુજબ પેઈન્ટ કરાવવાના રહેશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh