Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ સેમ્પલ સર્વે વિભાગ દ્વારા
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં નેશનલ સેમ્પલ સર્વે દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરાઈ હતી.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૧ થી ૧પ જુલાઈ ર૦ર૩ દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રના સ્થિત નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગની તમામ કચેરીઓએ પખવાડિયા દરમિયાન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વિવિષ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
ઉપ-પ્રાદેશિક કચેરી, જામનગર દ્વારા ૧પ મી જુલાઈના એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષેત્રના અધિકારીઓ દ્વારા બાલા હનુમાન મંદિરના પરિસર અને આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર અને ઉપ-પ્રાદેશિક કચેરીના અધિકારીઓએ હાજરી આપી હતી અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે રેલી પણ યોજવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial