Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કલ્પતરૃ ફોર્ટીફાઈડ મીઠાના બાચકા રોડ સાઈડમાં કોણ ફેંકી ગયું...?

જામનગર તા. ૧૮ઃ જામનગરમાં સમર્પણથી બેડીબંદર રોડ ઉપર જતા સાઈડમાં ખાડામાં બાવળના ઝાડ ઉપર અનાજમાં નાખવામાં આવતા પ્રિમિયમ મીઠાનો મોટો જથ્થો રોડ કોણ પર ફેંકી ગયા હતાં.

આ મીઠાનો આટલો મોટો જથ્થો કોણ ફેંકી ગયું હશે...? જો કે, આ મીઠાના પેકીંગ ચોથા મહિનાનું જ છે. વરસાદમાં પલળેલા આ જથ્થો શું કામ ફેંકી દેવામાં આવ્યો છે...? એ સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. સરકાર દ્વારા ગરીબો માટે સસ્તા ભાવે અનાજ મળી રહે તેવી સુવિધાઓ કરવામાં આવે છે. પરંતુ અનેક વખત આ ગરીબોને આપવામાં આવતાં અનાજનો કે, અન્ય કોઈ ખાદ્ય પદાર્થનો જથ્થો સળી જવાની કે, ફેંકી દેવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જામનગરમાં સમર્પણથી બેડીબંદર રોડ પર રાજય સરકાર દ્વારા અપાતો કલ્પતરૃ ફોર્ટીફાઈડ પ્રિમિયમ મીઠાના બાચકાઓ રોડ પર ફેંકી દેવાયા છે. જો કે, આ જથ્થો સરકારી કર્મચારીઓ કે, જે રાશનકાર્ડ ધારકને વિતરણ કરવામાં આવ્યો છે, તેના દ્વારા ફેંકી દેવામાં આવ્યો છે...? તે એક તપાસનો વિષય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh