Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી પવિત્ર પુરુષોત્તમ માસનો આરંભઃ
હિન્દુ પંચાગ અનુસાર સરેરાશ દર ત્રણ વર્ષે આવતા અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. આ માસમાં માંગલિક કાર્યો વર્જીત હોય છે. શાસ્ત્રોક્ત કથા અનુસાર પુરુષોત્તમ માસમાં માંગલિક કાર્યો નિષેધ હોવાથી કોઈ આ માસને સ્વીકાર કરતું ન હતું, પરંતુ ભગવાન નારાયણ શ્રી વિષ્ણુ ભગવાને આ માસને સ્વીકારી તેને પોતાનું નામ આપ્યું અને ત્યારથી પુરુષોત્તમ માસમાં વિષ્ણુ ઉપાસનાનું આગવું મહત્ત્વ છે. આજથી પુરુષોત્તમ માસ આરંભ થતા નગરના વિવિધ વિષ્ણુ મંદિરો તથા પુરુષોત્તમજીના મંદિરે વિશેષ પૂજન-સેવાના ધર્મકાર્યોનો શુભારંભ થયો છે. જામનગરમાં રણજીત રોડ પર પંજાબ બેંક પાસે આવેલ શ્રી પુરુષોત્તમજીના મંદિરે આજે ભગવાનને વિશેષ દિવ્ય શ્રૃંગાર અર્પણ કરી પૂજન અર્ચન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મુખ્યાજી કિશોરભાઈ દવે દ્વારા ઠાકોરજીની વિશેષ સેવા સાથે યજમાનોને પૂજન કરાવાયું હતું. હવાઈચોક પાસે આવેલ શ્રી પુરુષોત્તમજીના પ્રાચીન મંદિરે પણ સવારથી જ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડીમાં પુરુષોત્તમ માસના પ્રથમ દિને મંડળ ભરવામાં આવ્યું હતું. 'છોટીકાશી' કહેવાતી ધર્મનગરી જામનગરમાં વિવિધ મંદિરોમાં સમગ્ર મહિના દરમિયાન અનેક ધર્મકાર્યો યોજાતા રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial