Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છરી તથા ઢીકાપાટુથી મરાયો હતો મારઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના ગુલાબનગર પાસે આવેલી નાસ્તાની રેંકડી આડે એક આસામીએ પોતાની મોટર રાખતા તેને રેંકડીવાળા સહિત ત્રણે માર માર્યાે હતો. પોલીસે હુમલાખોર મહિલા સહિતના ત્રણ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગ નો વ્યવસાય કરતા ગોવિંદભાઈ કાનજીભાઈ સોઢા ગઈકાલે બપોરે ગુલાબનગર નજીક આવેલી નવાનગર બેંકની શાખા સામે હોટલે ચા પીવા આવ્યા હતા ત્યારે તેઓએ પોતાની ઈકો મોટર નાસ્તાની એક રેંકડી પાસે રાખી હતી.
રેંકડીવાળા કિરીટે ત્યાં મોટર ન રાખવાનું કહેતા ગોવિંદભાઈએ હમણા લઈ લઉં છું તેમ કહેતા કિરીટ તેમજ ચિન્ટુ અને એક મહિલા ધસી આવ્યા હતા. આ વ્યક્તિઓએ ગાળો ભાંડ્યા પછી કિરીટે છરીથી હુમલો કર્યાે હતો. જ્યારે ચિન્ટુ તથા મહિલાએ ઢીકાપાટુથી માર માર્યાે હતો. ગોવિંદભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને જીપી એક્ટ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial