Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્વાસ ચઢતા શ્રમિક મહિલા પર પડ્યો કાળનો પંજોઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના નવાનાગનામાં શનિવારે એક ખેડૂતને ઝેરી જનાવર કરડી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાલાવડના પીઠડીયા-૪ ગામમાં એક શ્રમિક મહિલાને શ્વાસ ચડ્યા પછી તેમના પર કાળનો પંજો પડ્યો છે.
જામનગર નજીકના નવા નાગના ગામમાં રહેતા ધનજીભાઈ મનજીભાઈ રાઠોડ (ઉ.વ.૬૫) નામના ખેડૂત શનિવારે સવારે પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે તેઓને કોઈ ઝેરી જંતુ કરડી જતાં તેઓને સારવાર માટે જામનગર ની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. તેમના પુત્ર સુરેશભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં આવેલા વિનોદભાઈ વસરામભાઈ દોમડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અમન કૂવા ગામના કાલેશભાઈ મોગજીભાઈ વાખલા નામના શ્રમિકના પત્ની લીલાબેન (ઉ.વ.૩૦) કામ કરતા હતા ત્યારે તે મહિલાને શ્વાસ ચડવા લાગતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાનું મૃત્યુ નિપજ્યાનું કાલેશભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial