Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ દિવસનો નિઃશુલ્ક પ્રવાસ શરૃ
ભાટિયા તા. ૧૮ઃ સલાયા લોહાણા મહાજન તથા શેઠશ્રી વિઠ્ઠલદાસ નારણદાસ બદિયાણીના પુત્ર જયંતભાઈ (સલાયાવાળા) હાલ કિસુમુવાળા દ્વારા સલાયાના સર્વ રઘુવંશી ભાઈઓ-બહેનો માટે નિઃશુલ્ક શ્રીનાથજી, ચોટીલા, શામળાજી, કાડરોલી, એક્લીંગજી, ચારભૂજા સહિત છ ધાર્મિક સ્થળોનો પવિત્ર પુરુષોત્તમ માસમાં યાત્રા પ્રવાસ પાંચ દિવસનો યોજાયો જે યાત્રા આજે સલાયાથી વહેલી સવારે જામનગર સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચતા સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ, ઉપપ્રમુખ, અરવિંદભાઈ તથા મહિલા રઘુવંશી અગ્રણી ભારતીબેન લાલ, વસંતાબેન તન્ના સહિત યાત્રિકોનું હાલાર લોહાણા મહાજનના કન્વિનર જિતુભાઈ લાલ, સંયોજન દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) ની શુભેચ્છાઓ સાથે બારાડી લોહાણા મહાજનના મંત્રી નિલેશભાઈ કાનાણીએ યાત્રિકોનું ઉપરણુ ઓઢાડી શ્રીનાથજીનું ચિત્રજી આપી સ્વાગત-સન્માન કર્યું હતું અને યાત્રા સુખરૃપ નિવડે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી અને તમામ યાત્રિકોને અલ્પાહાર કરાવી યાત્રા પ્રસ્થાન કરાવેલ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial