Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યાયમૂર્તિઓ તેમજ વકીલ મિત્રોએ સલામી અર્પીઃ
જામનગરના ન્યાયાલયમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતુંં. ઈન્ચાર્જ પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ એમ.આર. ચૌધરીના હસ્તે તિરંગાને સલામી અર્પણ કરવામાં આવી હતી. એડી. સેશન્સ જજ શ્રીમતી એ.એ. વ્યાસ, એ.એસ. વ્યાસ સહિતના ન્યાયમૂર્તિઓ અને જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા, સદસ્ય પિયુષ પરમાર, મનોજ ઝવેરી, વનરાજસિંહ વાળા, હેમલ ચોટાઈ, હિતેનભાઈ ચોટાઈ, અશોકભાઈ નંદા સહિતના વકીલ મિત્રોએ સલામી આપી હતી. તે પછી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં એડવોકેટ સંદીપ પટેલની આગેવાની હેઠળ વકીલ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. જી.જી. હોસ્પિટલની બ્લડ બેંકની ટીમે ૪૫ ડોનર પાસેથી બ્લડ એકત્ર કર્યું હતું. વર્ષમાં બે વખત વકીલ મિત્રો દ્વારા યોજાતા બ્લડ ડોનેશન કેમ્પમાંથી થેલેસેમિયાના દર્દીઓને પણ રક્ત પૂરૃં પાડવામાં આવી રર્હ્યું છે. કેમ્પ પછી ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial