Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા અન્ન (મિલેટ) વાનગી પ્રતિયોગિતા યોજાઈ

ધારાસભ્ય-મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગર પાલિકાના ફાયર શાખાના કોન્ફરન્સ હોલમાં આઈસીડીએસ શાખાની મહાનગરપાલિકા કક્ષાની શ્રી અન્ન (મિલેટ) વાનગી પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ બાજરી, જુવાર, મકાઈ, કોદરી વગેરે અને ટીએચઆરની મદદથી બનાવાયેલા વાનગીઓ રજુ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, ચેરમેન મનિષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા કોર્પોરેટરો સરોજબેન વિરાણી, નિલેષ કગથરા, ગીતાબા જાડેજા, ડે.ચિફ ઓડીટર કોમલબેન પટેલ, નાયબ મેડિકલ ઓફિસર ડો. હરીશ ગોરી અને ન્યુટ્રીશીયન ક્રિષ્નાબેન દવે ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને વાનગી નિહાળીને તેનો અભિપ્રાય આપ્યો હતો. તથા મિલેટનું મહત્ત્વ સમજાવ્યુું હતું તથા ખોરાકમાં તેને સામેલ કરવા સૂચન કર્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈસીડીએસના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh