Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષ્ણ જન્મભૂમિ... ઈદગાહ વિવાદ ફરી વકર્યોઃ
નવી દિલ્હી તા. ૧૬ઃ મથુરાના રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવા સામે સુપ્રિમ કોર્ટે રેલવે અને કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે.
મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતા સુપ્રિમ કોર્ટે આ અતિક્રમણ હટાવવા પર ૧૦ દિવસનો સ્ટે આપી દીધો હતો. એટલે કે હવે ૧૦ દિવસ સુધી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કોઈ કામગીરી નહીં કરી શકાય. આ મામલે હવે આગામી સુનાવણી ૧ અઠવાડિયા પછી કરવામાં આવશે.
માહિતી અનુસાર રેલવે દ્વારા આ અતિક્રમણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, જેમાં અસંખ્ય મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. આ મામલે સુપ્રિમ કોર્ટે સુનાવણી કરી હતી અને સ્ટે આપી દીધો હતો. આ અતિક્રમણ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ મસ્જિદની નજીકમાં જ આવેલ છે. તેથી મથુરામાં કૃષ્ણજન્મ ભૂમિ-ઈદગાહ વિવાદ ફરી વકરવા લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને પણ નોટીસ ફટકારી અને રેલવેને પણ નોટીસ મોકલી જવાબ માગ્યો છે. સાથે જ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial