Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૬ઃ તાજેતરમાં આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લાના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપીને પ્રશ્નોના નિકાલની માંગ કરવામાં આવી હતી.
દ્વારકા જિલ્લામાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને કારણે છાત્રોના અભ્યાસને માઠી અસર થતી હોય તાકીદે શિક્ષકોની ભરતી કરવા, ગ્રામ્ય પંથકમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોય રસ્તાઓ રીપેરીંગ કરવા નવા બનાવવા, વાડી વિસ્તારો તથા ગામડાઓમાં વીજળી સમયસર નિયમિતના મળવાની સમસ્યા હોય તે હલ કરવા તથા વીજળી કંપનીઓ પોલ ઉભા કરવામાં ખેડૂતોને અન્યાય કરતી હોય તથા આરોગ્યકેન્દ્રોમાં તબીબો તથા સ્ટાફની ઘટ હોય આ બાબતે તાકીદે પ્રશ્નો હલ કરવા આપ પાર્ટીના પ્રમુખ રામજીભાઈ પરમાર તથા આગેવાનોએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial