Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની બુઢા અમરનાથની યાત્રા માટે ૧૩૦ યાત્રિકોએ કર્યું પ્રસ્થાન

વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ

જામનગર તા. ૧૬ઃ વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લામાંથી બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિના પદાધિકારી અને કાર્યકરો પરિવાર સાથે બાબા બુઢા અમરનાથ યાત્રા માટે રવાના થયા છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ ૧૩૦ શ્રદ્ધાળુઓ જામનગરના ગાંધીનગર અને હાપા રેલવે સ્ટેશનથી અલગ અલગ ટીમોમાં રવાના થયા છે. આ બાબા બુઢા અમરનાથની યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, ઉપાધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગ માતૃશક્તિના સંયોજિકા હીનાબેન અગ્રાવત, સહસંયોજિકા ટીકુબેન અજા, દુર્ગાવાહિની સહસંયોજીકા રીનાબેન નાનાણી, ૧૩૦ જેટલા શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી કટરા ટ્રેન મારફત રવાના થયા છે. જેને પ્રસ્થાન કરાવવા વિશ્વ પરિષદના મંત્રી હેમતસિંહ જાડેજા, સહમંત્રી અને ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેશભાઈ રાજાણી, દુર્ગાવાહિની સંયોજીકા કૃપાબેન લાલ, સ્વરૃપાબા જાડેજા, સહસંયોજક જીલ બારાઈ, અમિતભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં, અને બાબા બુઢા અમરનાથની આ કઠિન યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh