Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રતનબાઈ મસ્જિદમાં ઉજવાયું સ્વાતંત્ર્ય પર્વઃ તિરંગા રોશનીનો ઝળહળાટ

મુંબઈ સ્થિત ફૈઝાન મિશનના માર્ગદર્શન હેઠળ

જામનગરમાં રતનબાઈ મસ્જિદમાં ૧પમી ઓગસ્ટ - સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રતનબાઈ મસ્જિદને તિરંગાથી શણગારવામાં આવી હતી. રાત્રિના સમયે આ દૃશ્ય બુર્જ ખલીફાની જેમ રતનબાઈ મસ્જિદ રોશનીથી ઝળહળી ઉઠી હતી. આ આયોજન મુંબઈથી પધારેલા ફૈઝાન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુંં, જેમાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ, કાદરબાપુ, જુણેજા, હુશેનભાઈ એરંડીયા, ઈકબાલભાઈ એરંડીયા, હાજી મહમદભાઈ (મોટાભાઈ), ડો. રાઠોડ, યુસુફભાઈ પણસારા, સુતરીયાભાઈ, મૌલાના મુસ્તાકબાપુ, મૌલાના અ.કાદર આરબ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા હુશેની વાએઝ કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh