Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શરદ ૫વાર એનડીએમાં જોડાઈ રહ્યાં હોવાની ચર્ચા અંગે સ્પષ્ટતાઃ
મુંબઈ તા. ૧૬ઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં મતભેદો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીમાં વિભાજન બાદ ગઠબંધનમાં બધું બરાબર નથી. રાજયના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી હોવાની હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
હવે ખુદ સુપ્રિયા સુલેએ કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર અંગેની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે, મને કે મારા પિતા શરદ પવારને કેબિનેટમાં સામેલ થવા માટે કોઈએ કોઈ ઓફર નથી આપી અને ન તો કોઈ ચર્ચા થઈ કે શરદ પવાર એનડીએમાં જોડાય રહ્યાં નથી. મને નથી ખબર કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કેમ કરી રહ્યાં છે. હું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને ગૌરવ ગોગોઈના સતત સંપર્કમાં છું. જોકે, હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો છે કે, અજિત પવાર દ્વારા ભાજપે શરદ પવારને કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી છે. આ અટકળોને લઈને શિવસેના નેતા સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે. સંજય રાઉતે અજિત પવાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, અજિત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર કરે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial