Advertisement
Author: નોબત સમાચાર

અંધાશ્રમ પાસે અજાણ્યા યુવાનનું ટ્રેન હેઠળ ચગદાઈ જતાં મૃત્યુ

મૃતકની ઓળખ આપવા પોલીસને અનુરોધઃ

જામનગર તા. ૧૬ઃ જામનગરના અંધાશ્રમ ફાટક પાસે સોમવારે રાત્રે એક અજાણ્યા યુવાન ટ્રેન હેઠળ ચગદાઈ ગયા હતા. પોલીસે તેઓનું વર્ણન જાહેર કરી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યાે છે. જામનગરના અંધાશ્રમ આવાસ પાસે આવેલા રેલવે ટ્રેક પરથી સોમવારની રાત્રે પસાર થયેલી કોઈ ટ્રેન હેઠળ ત્રીસેક વર્ષની વયના લાગતા અજાણ્યા યુવાન ચગદાઈ ગયા હતા. મૃતદેહનો પોલીસે કબજો સંભાળ્યા પછી મૃતકની ઓળખ આપવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. મૃતકના શરીર પર ટૂંકી બાયનો ગ્રે કલરનો શર્ટ, દુધીયા કલરનું લોઅર પહેરેલું હતું. મૃતકના ડાબા હાથમાં મિ. લવ, કલાય પાસે લવ તથા જમણા હાથના પંજામાં અંગ્રેજીમાં ભાટી લખેલું છે. તે ઉપરાંત ડોક પાસે ત્રાજવું ત્રોફાવેલું છે. મૃતક મધ્યમ બાંધો અને સાડા પાંચેક ફૂટની ઉંચાઈ ધરાવતા હતા. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પીએસઆઈ એન.જે. રાવલ ૯૧૦૬૧૨૯૮૯૦નો સંપર્ક સાધવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh