Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડથી જામ રોઝીવાડા-ભાણવડ માર્ગે થઈને નવાગામ જઈ શકાશે

માર્ગનું કામ ચાલી રહ્યું હોવાથી

ભાણવડ તા. ૧૬ઃ ભાણવડ નવાગામ રોડ ચેઈનેજ ૩/૪૦૦ થી ૩/૬૦૦ કામ હાલ પ્રગતિ હેઠળ છે, તેમજ આ રસ્તામાં કરવામાં આવેલા ડાયવર્ઝન પર ચોમાસાના સમય દરમિયાન પાણીનો પ્રવાહ વધુ પડતો હોવાથી ડાયવર્ઝન ચાલુ થઈ શકે તેમ જણાતું નથી. નવાગામ - ભાણવડ રસ્તાની ૪.પ કિ.મી. લંબાઈ ધરાવે છે. બ્રીજનું કામ ચેઈનેજ ૩/૪૦૦ થી ૩/૬૦૦ પર ચાલુ છે. જેથી આ ડાયવર્ઝન પર પાણીના પ્રવાહના લીધે કોઈ જાનહાની ન થાય તે માટે સલામતીના ભાગરૃપે આ રસ્તા ઉપરથી તમામ પ્રકારના હેવી તથા લાઈટ વાહનો તેમજ રાહદારીઓની અવર-જવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા મેજિ. દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩ (૧) (ખ) હેઠળ જિલ્લા મેજિ.શ્રીને મળેલ સત્તાની રૃએ નવાગામ - ભાણવડ રોડ પર ચેઈનેજ ૩/૪૦૦ થી ૩/૬૦૦ પર બ્રીજનું કામ ચાલુ હોવાથી ઉક્ત ચેઈનેજ પર વાહન વ્યવહાર તથા રાહદારીઓની અવરજવર પર મનાઈ ફરમાવી છે. આ રસ્તો બંધ થતા તમામ પ્રકારના રાહદારીઓ દ્વારા વૈકલ્પિક રસ્તા તરીકે નવાગામ-જામ રોઝીવાડા - ભાણવડ (૧૬ કિ.મી.) રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું અન્ય હુકમ ના થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh