Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬ઃ જામજોધપુરની એક સગીરાએ રસ્તામાં હેરાન કરતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે ગુન્હામાં જેલ હવાલે થયેલા આરોપીને જામીન પર છોડવાનો હુકમ થયો છે.
જામજોધપુરમાં રહેતા મુસ્તફા મહંમદહુસેન પરમાર ઉર્ફે તન્વીર નામના શખ્સ સામે એક સગીરાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ આ શખ્સે તેણીને રસ્તામાં રોકી પરેશાન કરવા ઉપરાંત ફોટો વાયરલ કરવાની અને માતા-પિતાને પતાવી દેવા ધમકી આપી હતી.
આ ફરિયાદ પરથી પોલીસે આઈપીસી ૩૫૪ (ડી), ૩૮૫, ૫૦૪, ૫૦૬ (ર) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. જેલહવાલે થયેલા આ આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ વાય.એ. લાખાણી, એ.એ. માજોઠી, જે.એમ. કાદરી, આર.એમ. ગજીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial