Advertisement
Author: નોબત સમાચાર

વતનમાં જવા માટે પિતાએ ના પાડતા પુત્રનું વિષપાનઃ સારવાર દરમિયાન મોત

પિતાનું નિવેદન નોંધતી પોલીસઃ

જામનગર તા.૧૬: ધ્રોલના ભેંસદળ ગામમાં મજૂરી કામ માટે આવીને રહેતા એક શ્રમિક પરિવારના પુત્રએ વતનમાં જવાની ઈચ્છા પિતા સમક્ષ વ્યક્ત કરતા પિતાએ હાલમાં ખેતરમાં કામ હોવાનું કહી પછીથી વતનમાં જવા કહેતા માઠું લાગી આવવાથી પુત્રએ વિષપાન કર્યું હતું. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજયું છે.

ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામની સીમમાં શૈલેષભાઈ રમેશભાઈ ગોહેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રાતડીયા ગામના બકાભાઈ દેહાંતભાઈ નાયક નામના પ્રૌઢના પુત્ર પિન્ટુભાઈ (ઉ.વ.૨૧)એ ગયા શનિવારે રાત્રે ખેતરમાં કોઈ ઝેરી દવા પી લીધી હતી.

સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવારમાં જ મૃત્યુ નિપજ્યું છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુની નોંધ કરી પિતા બકાભાઈનું નિવેદન નોંધ્યું છે.

મૃતકના પિતાએ જણાવ્યા મુજબ બનાવના દિવસ પહેલા પુત્રએ વતનમાં જવાની માંગણી કરી હતી પરંતુ પિતાએ હાલમાં ખેતીકામ ચાલુ હોવાથી પછી વતનમાં જજે તેમ કહેતા માઠું લાગી આવવાથી પુત્રએ વિષપાન કરી લીધુ હતું. પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh